નાહવાની મજા પ્રવાસીઓ માટે કાળ બની: નર્મદા નદી કાંઠે આવેલા પોઈચામાં નાહવા ગયેલા 8 પ્રવાસીઓ ડૂબ્યા, એકને જીવતો બચાવી લેવાયો
- 14 May, 2024
લોકો ગરમીની ઋતુમાં મોજ મજા કરવા માટે નદી કે દરિયામાં બીચ પર ફરવા જતાં હોય છે. જોકે ઘણી વખત એવું પણ બનતું હોય છે કે આ જ મજા લોકોની સમસ્યાનું કારણ બની જાય છે. સુરતના 8 પ્રવાસીઓ ગરમીથી રાહત મેળવવા માટે નર્મદા નદીના કિનારે આવેલા પોઈચા ખાતે આવ્યા હતા. જોકે નર્મદામાં નાહવા પડ્યા બાદ આ તમામ પ્રવાસીઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
જોકે તેમણે બૂમો પડતા સ્થાનિકો ભેગા થઈ ગયા હતા અને તેમને નદીમાંથી બહાર કાઢ્યા હતા. જોકે આઠમાંથી એક વ્યક્તિને જીવતો નદીમાંથી બહાર કાઢી શકાયો હતો. બાકીના 7ની હજી સુધી લાપતા છે. ગુમ થનારા વ્યક્તિઓમાં ત્રણ બાળકો પણ સામેલ છે. સમગ્ર ઘટનાની જાણ રાજપીપળા પોલીસને થતા ઘટના સ્થળે પોલીસ અને ફાયર બ્રિગેડ પહોંચી ગયા હતા.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ